|
‘ધરતી
વિકાસ મંડળ' ગુજરાતની એક અગ્રણી સામાજિક સંસ્થા તરીકે સુપ્રતિષ્ઠિત છે.
પાટીદાર સમાજ કુરૂઢિઓમાંથી મુક્ત થાય અને તેમાં વૈચારિક જાગૃતિ દ્વારા
સુધારાનો અમલ થાય અને સમાજનો સર્વાંગી વિકસ થાય એ માટે આ સંસ્થા છેલ્લા છ
દાયકથી સતત કાર્યરત છે. સમાજસેવાને વરેલી આ સંસ્થાએ છ દાયકા દરમ્યાન તેના
માર્ગમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા છે. સમાજનાં જૂનવાણી પરિબળો સામે ઝીંક ઝીલી
છે પણ એવે વખતે સંસ્થાના અનેક સંનિષ્ઠ સેવાભાવી કાર્યકરો અને લોકોની
હૂંફને કારણે સંસ્થાને નવું બળ મળ્યા કર્યું છે અને સંસ્થા કોઈ પણ પ્રકારા
રાગદ્વેષ કે પક્ષાપક્ષીથી પર રહીને સમાજના હિતાર્થે કાર્ય કરતી રહી છે. એ
રીતે આ સંસ્થા પાટીદાર સમાજના ઉત્થાનના ઇતિહાસની સાક્ષી રહી છે. એમ કહી
શકાય કે આ સંસ્થાનો છેલ્લા છ દાયકાની અવિરત યાત્રાનો ઇતિહાસ એટલે સમગ્ર
પાટીદાર સમાજની વિકાસ યાત્રાનો ઇતિહાસ.
|