| |
|
|
 |
સમાજયાત્રાઓ
: |
|
સમાજયાત્રા
આ સંસ્થાની પ્રવૃત્તિઓનું એક મહત્વનું સોપાન છે. વર્ષમાં એકાદવાર સંમેલન
યોજવાથી કે લેખો લખવાથી કુરૂઢિઓના દૂષણોનો અને સમાજસુધારાની અનિવાર્યતાનો
સંદેશ ઘેર ઘેર લોકો સુધી પહોંચાડી શકાતો નથી. આ માટે ધરતી વિકાસ મંડળ અને
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઊંઝાના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ
ઇ.સ. 1977થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અનેક ગામોમાં સમાજયાત્રાઓ
યોજીને બાળલગ્ન, કન્યાવિક્રય, સાટાં પેટાં, બારમાં, લગ્નપ્રથા, જેવી
સામાજિક કુરૂઢિઓની નાબૂદી તેમજ કન્યા કેળવણી, સમૂહલગ્નોના પ્રચાર દ્વારા
સમાજને ઢંઢોળીને અને સુધારાઓ માટે જાગૃત કરવામાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો
છે. આ સંસ્થાઓના કાર્યકર્તાઓએ મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓનાં જ
નહિ, અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરત જિલ્લાનાં ગામોમાં સમાજયાત્રાઓ યોજી જેને
લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો. તેમણે સમાજયાત્રા દ્વારા સુધારાની
આ જ્યોતને સૌરાષ્ટ્ર અને કચ્છનાં દૂરનાં ગામો સુધી પહોંચાડી. આ
સમાજયાત્રાઓએ પાટીદાર સમાજને જાગૃત કરવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો. |
|
|
|
|
|