|
આ સંસ્થામાં વયસ્ક વડીલો
–
સિનિયર સિટીઝન્સ – માટેની એક નવી પ્રવૃત્તિ પણ ‘વડીલ
વૃંદાવન’ના નામથી ઇ.સ. 1994થી શરૂ કરવામાં આવી. ‘વડીલ
વૃંદાવન’ના લગભગ 400 ઉપરાંત સભ્યો છે. તેઓ સંસ્થામાં દરરોજ
સાંજે 5-00થી 7-00 દરમિયાન મળે છે, અને અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા
નિવૃત્તિની પળોનો આનંદ માણે છે. તેઓ વિવિધ વિષયો પર ચર્ચાઓ કરે છે તેમજ
પ્રસંગોપાત અમુક ખાસ વિષયો પર કથાપ્રસંગો તેમજ અન્ય હળવી રમતો દ્વારા
નિવૃત્તિને પ્રવૃત્તિમય બનાવે છે. તેઓ અવારનવાર પ્રવાસ –
પર્યટનોનું પણ આયોજન કરે છે, અને એ દરમ્યાન વિવિધ સંસ્થાઓની મુલાકાત પણ લે
છે. મહિના દરમિયાન જે વડીલોના જન્મદિવસ આવતા હોય તેમને તે મહિનાના એક
દિવસે – હેપી બર્થ ડે – જન્મદિવસની શુભેચ્છાઓ
પાઠવવાનો પણ પ્રસંગ ગોઠવીને તે દિવસને વિશેષ આનંદમય બનાવે છે. વાર્ષિક
સંમેલન રાખી સહકુટુંબ ભેગા થઈ રમત-ગમત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મિષ્ઠ
ભોજન લઈ ઉજવે છે.
|